
બાણું વર્ષની જીવનયાત્રા વટાવી ચૂકેલું ‘કુમાર’ માસિક આજે ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એના તંત્રી તે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ લેખક-કવિ-વિવેચક ધીરુભાઈ પરીખ. આ મુલાકાતમાં તેમણે ‘કુમાર’ ની ઐતિહાસિક વિગતોથી માંડીને તેની આજ અને આવતીકાલ વિષે ચર્ચા કરી છે.