
૧૫મી નવેમ્બર એટલે વિશ્વ એક્યુપંક્ચર દિવસ. આ દિવસ નિમિત્તે સિડનીમાં દાયકાઓથી કાર્યરત જનરલ પ્રેકટીશનર અને અક્યુપંકચર નિષ્ણાત ડો ગુણવંત નાકર સાથે કરેલા આ વાર્તાલાપમાં એઓ આ ઉપચાર પદ્ધતિ વિષે વિગતવાર માહિતી આપે છે. કયા પ્રકારનાં દર્દોમાં આ ઉપચાર અસરકારક નીવડે છે અને સામાન્ય તબીબીવિજ્ઞાન સાથે પૂરક ઉપચાર તરીકે એકયુપંકચરનો કેટલી હદે ઉપયોગ થઇ શકે એની સમજણ એમણે આપી છે. (છબિ: ઓસ્ટ્રેલિયન મેડિકલ એક્યુપંક્ચર સોસાયટી)