કલાયાદગાર સંવાદોસંગીત-નૃત્ય
ઓસમાણ મીર

ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત ગાયક ઓસમાણ મીર ભક્તિસંગીત, ગઝલ, સૂફીગીતો, લોકસંગીત વગેરે દરેક પ્રકારની ગાયકીને સહજ ભાવપૂર્ણ શૈલીમાં રજૂ કરે છે. સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘રામલીલા’માં મેઘાણીની રચના ‘મન મોર બની થનગાટ કરે’ના પાર્શ્વગાયનથી એમણે બોલીવુડની દૂનિયામાં પ્રવેશ કરી ભારે લોકચાહના મેળવી. સિડનીમાં આવી રહેલા તેમના કાર્યક્રમ પૂર્વે એમની સાથેના આ સંવાદમાં એમની સંગીત-સફરના મુકામ વિષે એમણે દીલથી વાતો કરી છે.